યુનોની યુનેસ્કોની સંસ્થા દુનિયામાં જે સાંસ્કૃતિક, કલા, સાહિત્ય વગેરેનાકામો કરે છે એ ખરેખર દાદ માંગી લે તેવા છે.
યુનેસ્કોના એવા સેંકડો કામોમાનું એક કામ વિશ્વના જૂના સ્થાપત્યો, કલા અને સંસ્કૃતિના વારસાઓ વગેરેને જાળવણી માટે મોટા ભંડોળ સાથે સઘળી સંયુક્ત જવાબદારી માથે લે છે.
આપણા દેશમાં એવા વિશ્વ સાંસ્કૃતિ વારસાના સ્થળો અત્યાર સુધીના યુનેસ્કોના આ છે....
૧૯૮૩
(૧) અજંતા (મહારાષ્ટ્ર)
(૨) ઈલોરા (મહારાષ્ટ્ર)
(૩) આગ્રાનો કિલ્લો (ઉત્તર પ્રદેશ)
(૪) તાજમહલ (ઉત્તર પ્રદેશ)
૧૯૮૪
(૬) મહાબલિપુરમ્ (તમિળનાડુ)
(૭) કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ)
(૮) માનાનાની વન્યપ્રાણી સૃષ્ટિ (આસામ)
(૯) કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (રાજસ્થાન)
૧૯૮૬
(૧૦) ગોવાના દેવળો અને ખ્રિસ્તી કેન્દ્રો
(૧૧) ખજાુરાહો (મધ્યપ્રદેશ)
(૧૨) હમ્પીના અવશેષો (કર્ણાટક)
(૧૩) ફતેપુર સિક્રી (દિલ્લી)
૧૯૮૭
(૧૪) પત્તાડકલના અવશેષો
(૧૫) એલિફન્ટાની ગુફાઓ (મહારાષ્ટ્ર)
(૧૬) બૃહદેશ્વરનું મંદિર (થાન્જીપુર)
(૧૭) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
૧૯૮૮
(૧૮) નંદાદેવી અને વેલી ઓફ ફલાયર્સ (ઉત્તરાંચલ)
૧૯૮૯
(૧૯) સાંચીના બૌદ્ધ સ્થાપત્યો
૧૯૯૩
(૨૦) હુમાયુંની કબર (દિલ્લી)
(૨૧) કુતુબમિનાર (દિલ્લી)
૧૯૯૯
(૨૨) દાર્જિલિંગ અને સીમલાની રેલવે
૨૦૦૨
(૨૩) બુદ્ધગયાનું મહાબોધી ટેમ્પલ
૨૦૦૩
(૨૪) ભીમખેડાના આરસના પહાડો (મધ્યપ્રદેશ)
૨૦૦૪
(૨૫) ગંગાલકોન્ડાચોલાપુરમનું બૃહદેશ્વરનું મંદિર
(૨૬) દારાસુરમનું ઐરાવતેશ્વરનું મંદિર
(૨૭) ગુજરાતના ચાંપાનેર અને પાવગઢ
(૨૮) મુંબઈની વિકટોરીયા ટર્મિનસ સ્ટેશન (વી.ટી., છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, વોરીબંધુ)
૨૦૦૭
(૨૯) દિલ્લીનો લાલકિલ્લો
અફસોસ અને દુઃખની વાત એ છે કે....આ બાબતમાં ગુજરાત એટલે ગુજરાતીઓ એટલે ગુજરાત અત્યાર સુધી ઊંઘતી જ રહી છે. ચાંપાનેર અને પાવાગઢ ''વર્લ્ડહેરીટેજ''માં આવે એ માટે વડોદરાની કોઈ સંસ્થાએ વર્ષો સુધી પ્રયત્ન કરેલા. યુનેસ્કો આખી દુનિયાનું વિચારે છે અને એમાં જે સમિતિ છે એ આપણી સંસ્કૃતિ અને વારસાઓ વિષે શું જાણતી હોય ? બધુ એ જાણે એવી અપેક્ષા પણ ન રખાય. એને આપણી વાત ભારપૂર્વક ધ્યાનમાં મૂકી હોય તો એ વિચારી શકે.
બાકી ગુજરાતમાં કેટલા બધા સાંસ્કૃતિક વિશ્વ વારસામાં છે ! દા.ત. ગિરનું જંગલ (એટલે સિંહ, ગાયો અને જૂનાગઢ), સોમનાથનું મંદિર, દેલવાડા (એ છે તો રાજસ્થાનમાં પણ એ આપણું પણ છે જ), પાલિતાણા, રાણકપુર, રાણકીવાવ, પાટણ-ખંભાત અને કુંભલગઢના જૈન દેરાસર, દ્વારિકા નગરી, ધોલાવીરા વગેરે ઘણા સ્થળો વર્લ્ડ હેરીટેજમાં આવી શકે તેમ છે પણ....એમાં આંગળી ચીંધનાર જોઈએ ને ?
બાકી ''વર્લ્ડ હેરીટેજ સીટી''માં આપણું અમદાવાદ જરૃર સ્થાન મેળવી શકે એવા અમદાવાદમાં ગુણો પડેલા છે.
એમાં સૌથી મોટો ગુણ છે ગાંધીજીની કર્મભૂમિના પાયા નાંખનાર શહેર તરીકેની.
ગાંધીજી આજે શહેર કે પ્રદેશ કે દેશના જ નથી રહ્યા પણ વિશ્વભરના થઈ ગયા છે, આજે આખી દુનિયામાં જો કોઈ એક મહામાનવની પ્રતિમાઓ ઠેરઠેર મૂકાતી હોય તો એ ફક્ત ગાંધીજીની જ છે. દુનિયાની કોઈપણ બીજી મહાન વ્યક્તિની આવી રીતે પ્રતિમાઓ કોઈ ક્યાંય મૂકતું નથી.....બધે ગાંધીજી જ મૂકાઈ છે ! (આપણે ત્યાં ગાંધીજીની મહાનતા નહીં પણ ગાંધીજીના અવગુણો જોનારા હોય છે. બાકી અવગુણો કોનામાં નથી હોતા ? કૃષ્ણમાં નહોતા ? રામ જેવા રામમાં નહોતા ? વ્યક્તિમાં અવગુણો ન હોય તો એ વ્યક્તિ જ નથી. એટલે અવગુણો જોવાના ન હોય પણ વ્યક્તિના ગુણો જોવાના હોય. દુનિયા ગાંધીજીના ગુણો જૂએ છે જ્યારે આપણે અવગુણો જોઈએ છીએ !)
એ ગાંધીજીએ સર્વસત્તાધિશ અંગ્રેજી સલતનત સામે જે અહિંસક લડતનો આરંભ કરેલો એનો પાયો અમદાવાદમાં નંખાયેલો.
''વર્લ્ડ હેરીટેઝ''ની શ્રેણીમાં આપણા દેશના એક પણ શહેર કે ગામનું નામ નથી. એ રીતે જોઈએ તો, ''વર્લ્ડ હેરીટેજ સીટી''ની શ્રેણીમાં એશિયામાંથી નેપાળનું ભક્તાપુર ગામ-શહેર છે. એ ઉપરાંત એશિયાના દેશોમાંથી શ્રીલંકાની ગાલે, મલેશિયાના પેનાંગ-જ્યોર્જટાઉન અને મેલ્લાકા, વિયેટનામનું હુએહુએ, લાઓસનું પ્રબાંગ વગેરે છે.
આ વખતની યાદિમાં અમદાવાદ શહેરનું નામ ''આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા'' નામની કેન્દ્ર સરકારની જે સંસ્થા છે એણે યુનેસ્કોને મોકલ્યું છે.
એટલું એ કામ તો સારું થયું છે. અમદાવાદવાસીઓએ એને વધાવી લેવું જોઈએ અને એને ધક્કો મારીને આગળ કરવું જોઈએ. માનો કે આ વર્ષે યુનેસ્કોની યાદીમાં આ ન આવે તો પણ વળગી રહેવાનું અને આવતા વર્ષે, પછીના વર્ષે અમદાવાદને વર્લ્ડ હેરીટેઝ સીટીમાં સ્થાન અપાવીને જ રહેવું !
અમદાવાદની સ્થાપના આશાવલ્લી કે કર્ણાવતી સુધી ન લઈ જઈએ પણ ૧૪૧૧ ઈ.સ. ગણીએ તો આ વર્ષ એની ૩૦૦મી જ્યંતિનું વર્ષ છે. એ પ્રસંગને નિમિત્ત બનાવીને યુનેસ્કો અમદાવાદને નવાજી શકે છે.
યુનેસ્કોએ ''હેરીટેજ'' ગણાવવા અંગેના જે નિયમો કરેલા છે એને અનુરૃપ અમદાવાદ છે એ પણ જણાવી દેવાયું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આ કામ કરવા માટે ૧૪ સપ્ટેમ્બર ૧૯૧૦ના દિવસે એક સમિતિની રચના પણ કરી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પણ આમાં રસ લીધો છે પણ એ હજી ઓછો પડે છે. મુખ્યપ્રધાને પણ થોડાક સમય માટે ''વાઈબ્રન્ટ ગુજરાત''માંથી ''વાઈબ્રન્ટ અમદાવાદ'' તરફ પોતાનું સુકાન ફેરવવું જોઈએ.
દુનિયામાં અમદાવાદને વિશિષ્ટતા અપાવનાર જેમ ગાંધીજી છે એમ દુનિયાભરમાં એક જમાનામાં બધાને કપડાં પહેરાવનાર એની કાપડની મીલો, એકમાંથી બીજામાં અને ત્રીજામાં લઈ જતી પોળો, વગેરે તો છે જ પણ મોટી વિશિષ્ટતા એના ચબુતરાઓ છે. ડાયરો અને ચોરો જેમ કાઠિયાવાડી (ગુજરાતી) સંસ્કૃતિની વિશિષ્ટતા છે એમ ચબુતરા પણ વિશિષ્ટતા છે પણ અમદાવાદે તો એ માનોને ઘરેઘરમાં એટલે પોળેપોળમાં અને કેટલીક પોળોમાં તો બબ્બે ત્રણ ત્રણ ચબુતરા હોય છે. ચબુતરા એટલે પક્ષીજગતનું પ્રાણરૃપ સ્થળ. ચબુતરામાં પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છતાં ગુજરાતના કલામર્મજ્ઞા સુતાશેખે એ ચબુતરાઓને પણ કલાત્મક કરેલા છે. નવા અમદાવાદમાં એવા ચબુતરા જોવા નથી મળતા તો કેટલાક શોખીનોએ પોતાના બંગલામાં અથવા સોસાયટીમાં ચબુતરા સંસ્કૃતિને જીવંત રાખી છે. ચબુતરામાં જૈન અને હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત મુસ્લિમ સંસ્કૃતિ પણ ડોકાઈ છે.
અમદાવાદના મકાનો જેમ કાષ્ટકલાથી કંડારાયેલા રહેતા એમ ચબુતરા પણ કાષ્ઠકલાથી કંડારાયેલા રહેતાં.
અમદાવાદને ''હેરીટેજ સીટી'' બનાવવા માટેના આ મજબૂત કારણો છે. નેપાળના ભક્તાપુરની જે વિશિષ્ટતા છે, મલેશિયાના પેનાંગની અને મેલ્લાકાની જે વિશિષ્ટતાઓ છે એ બધું જ એકલા અમદાવાદમાં છે. એ સિવાયની વધુ વિશિષ્ટતામાં ગાંધીજી અને ચબુતરા છે.
- ગુણવંત છો. શાહ
હેં ! શું વાત કરો છો ?
ડૉક્ટરોના હેન્ડ રાઈટીંગના કારણે દર વર્ષે ઉલટાના દર્દીઓ વધે છે !
ડૉક્ટરોના હેન્ડરાઇટીંગ તો વર્ષોથી કુખ્યાત છે. એ હેન્ડરાઈટીંગ અને દર્દીઓની મોજણી કરવામાં આવી તો જણાયું કે હેન્ડરાઈટીંગના કારણે દર વર્ષે દર્દીઓ ઉલટાના રોગના વધુ ભોગ બને છે અને ક્યારેક દર્દી મરી પણ જાય છે ! રોગનો ભોગ બનેલા આવા દર્દીઓની સંખ્યા ભારતમાં લગભગ ૬૦૦૦ કરતાં દર વર્ષે વધુ હોય છે !
ડૉક્ટરોના અક્ષર દવા વેચનાર જ સમજી શકે છે એવું સાધારણ રીતે મનાય છે પણ એવું નથી હોતું. દવા વેચનાર કેમીસ્ટ પણ ઘણીવાર દવાનું નામ જ સમજી શકતો નથી પણ પોતે સમજી શકે છે વાંચી શકે છે એવું દેખાડવા જાણતા કે અજાણતા એ ભળતી જ દવા આપી દે છે. પરિણામે દર્દીનું દર્દ દૂર થવાના બદલે યોગ્ય દવાના અભાવે વધે છે અને ક્યારેક એનો ભોગ પણ બને છે.
કેટલાંક રાજ્યોએ આ ગડબડ અટકાવવા પ્રયત્નો કર્યા પણ હજી સુધી કોઈ ફાવ્યું નથી.
એક ઉપાય એવો છે કે....ડૉક્ટરે જ દર્દીને દવા ખરીદાયા પછી બતાવી જવાનો કાયદો કરવો જોઈએ. અથવા ડૉક્ટરે પોતે જ દવા આપવાનું રાખવું જોઈએ. અથવા દર્દીના હાથે જ દવાના નામો લખાવવાનું રાખવું જોઈએ અથવા દર્દીએ જ કહેવું જોઈએ કે, ''લાવો, દવાનું નામ હું મારા હાથે લખું છું...તમે બોલો !''
આ તમે નહીં જાણતા હો!
- બ્રાઝીલમાં આજકાલ શરીર ઉપરનો મસાજ હાથી પાસે કરાવવાનો રીવાજ ચાલે છે. એ દેશમાં સાપ વડે મસાજ કરાવવાનો શોખ તો ચાલુ જ છે. એમાં હવે હાથી પાસે મસાજ કરાવવાની ફેશન વધી છે. હાથીનું બચ્ચું જેને મદનીયું કહે છે એ ગ્રાહકના શરીરને મસાજ પોતાની સૂંઢ અને હળવા પગથી કરે છે. એ માટે હાથીને ખાસ તાલીમ આપવામાં આવે છે. |