આયુર્વેદનું શિક્ષણ મેળવવા માટે ચીલીથી પંદર સ્ટુડન્ટ્સ અને જર્મનીથી બે સ્ટુડન્ટ્સ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આવ્યા છે. ચીલી લેટીન અમેરિકાનો નાનકડો દેશ છે. અને આ સ્ટુડન્ટ્સ ચીલીના સાન્ટિયાગો શહેરમાંથી આવ્યા છે. તેઓએ પોતાની કન્ટ્રીમાં આયુર્વેદનું જે શિક્ષણ મળ્યું તે મેળવીને હવે આયુર્વેદને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેઓ માત્ર સ્પેનિશ ભાષામાં સમજી શકે છે. આયુર્વેદના વિજ્ઞાનને સમજવાની લગન હોવાને કારણે તેઓ પોતાની સાથે ઈંગ્લીશ- સ્પેનિશ ટ્રાન્સલેટર લઇને આવ્યા છે.
ચીલીથી આવેલી લૈલા ડેંસા કહે છે કે, અમે આયુર્વેદના પાઠ શીખવા માટે બીજી વખત ભારતમાં આવ્યા છીએ. આયુર્વેદ જીવન જીવવા માટેનો સિમ્પલ રસ્તો છે. અને મારા મતે ચરક સંહિતા આયુર્વેદનો સૌથી બેસ્ટ ગ્રંથ છે. લૈલા પોતે ચીલીમાં આયુર્વેદને પ્રમોટ કરવા માટે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.
મહત્ત્વની વાત એ છે કે આ બઘા પોતે શાકાહારી છે અને તેઓ આલ્કોહોલિક ડ્રિન્ક પણ નથી પીતા. આ અંગે કરિના અરેન્ગિઝ કહે છે, આયુર્વેદ જીવવા માટેનું વિજ્ઞાન છે. અને ભારતમાં હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ આયુર્વેદની શોધ કરી હતી. તેથી ભારતમાં અમે આયુર્વેદને મૂળમાંથી સમજવા માટે આવ્યા છીએ, અને જીવવા માટેનો ઓરિજનલ રસ્તો આયુર્વેદ જ છે. આયુર્વેદ શીખવા માટે આવેલા એન્ડિસ સુરખોફ કહે છે કે, મને ઇન્ડિયન ફૂડ, બ્યુટી, કોન્ટ્રાસ્ટ અને ઇન્ડિયન કલ્ચર ખૂબ જ ગમ્યું છે. અને અમે અમારા દેશમાં આયુર્વેદને વધારે સારી રીતે પ્રમોટ કરવા માગીએ છીએ.
ભારતમાં પુષ્કળ પ્રમાણમાં આયુર્વેદિક સાહિત્ય ઉપલબ્ધ છે. આ અંગે જર્મનીના હેમ્બર્ગ શહેરમાંથી આવેલી માર્ટીના કોબ્સ અને એલેક્સ કહે છે કે, અમે જર્મનીમાં આયુર્વેદ અને યોગને પ્રમોટ કરીએ છીએ.
આયુર્વેદિક કુકિંગ સિમ્પલ અને ફાસ્ટ છે. માર્ટીના પોતે આયુર્વેદ ટિચર છે અને ન્યુટ્રિશન કુકિંગ કંપની પણ ચલાવે છે. એલેક્સ જર્મનીમાં ૧૪ વર્ષથી યોગા શીખવે છે. તેઓ કહે છે કે, જર્મનીમાં લોકો હેલ્થ માટે વઘારે કોન્સિયસ છે.