લંડન/લાહોર,તા.૯
મેચ ફિક્સિંગ કાંડમાં આરોપી પાકિસ્તાની ખેલાડી આસિફ તેના જ દેશના ક્રિકેટ ચાહકોથી ભયભીત બન્યો છે. આસિફને હવે પાકિસ્તાન સલામત લાગતુ નથી અને તેના જ કારણે તેણે બ્રિટનમાં આશ્રય લેવાના પ્રયત્નો શરૃ કર્યા છે. મેચ ફિક્સિંગ વિવાદના ઘટસ્ફોટ બાદ પહેલી વખત પાકિસ્તાન પરત ફરેલા પીસીબીના ચેરમેન એજાઝ બટનો રોષે ભરાયેલા ક્રિકેટ ચાહકોએ હુરિયો બોલાવ્યો હતો.
પીસીબીને વિશ્વાસ ઃ ખેલાડીઓ જલ્દી પરત ફરશે
નારાજ ચાહકોએ બટને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બટને સ્વદેશ પરત ફરવા સમયે ચાહકોએ જે પ્રકારની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી તે જાણીને મેચ ફિક્સિંગનો આરોપી ફાસ્ટ બોલર આસિફ ગભરાઇ ગયો હતો.
મેચ ફિક્સિંગમાં સંડોવણી બાદ આસિફને હવે પાકિસ્તાન પરત ફરતાં ડર લાગી રહ્યો છે અને તેણે બ્રિટનમાં જ આશ્રય લેવા માટેના પ્રયત્નો શરૃ કર્યા છે.
તેના વકિલે કહ્યુ હતુ કે, જો આસિફ પુરવાર કરી દે કે તેના દેશમાં તેને જીવનું જોખમ છે તો તેને બ્રિટનમાં રાજ્યાશ્રય મળે તેવી શક્યતા છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તો જાહેરાત કરી હતી કે, સ્કોટલેન્ડ યાર્ડે ખેલાડીઓ સામે કોઇ આક્ષેપ મુક્યા નથી અને તેમને સ્વદેશ પરત ફરવા પર કોઇ નિયંત્રણ ન હોવાથી તેઓ જલ્દી પાકિસ્તાન પાછા ફરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
દરમિયાનમાં સ્કોટલેન્ડ યાર્ડે પાકિસ્તાનના ફાસ્ટ બોલર રિયાઝને પુછપરછ માટે બોલાવ્યો છે. રિયાઝની પુછપરછ ૧૪મીએ કરવામાં આવશે