Last Update : 09-Sept.-2010, Thursday
લલિત મોદીને ક્રિકેટના વહિવટમાંથી હકાલપટ્ટી કરવા માટેનો તખ્તો તૈયાર

આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલને વિખેરી નંખાશે
૨૯મીએ મળનારી બોર્ડની એજીએમ પછી સત્તાવાર જાહેરાત થશે

મુંબઇ,તા.૮
આઇપીએલના સસ્પેન્ડ થયેલા ચેરમેન લલિત મોદીની ભારતમાં ક્રિકેટના વહિવટમાંથી જ હકાલપટ્ટી કરવાનો તખ્તો બીસીસીઆઇએ ઘડી કાઢ્યો છે. ક્રિકેટના વહિવટ સાથે લલિત મોદીના તમામ સંબંધો પર પુર્ણવિરામ મુકવાની સાથે તે ભવિષ્યમાં બીસીસીઆઇમાં કોઇ મહત્વનું પદ ન મેળવી શકે તેવું આયોજન પણ થઇ રહ્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ૨૯મી સપ્ટેમ્બરે મળનારી બીસીસીઆઇની એજીએમ બાદ કરવામાં આવશે તેમ મનાય છે.
લલિત મોદી હાલ પોતાને જેના સસ્પેન્ડેડ ચેરમેન ગણાવે છે તે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલને જ ભારતીય ક્રિકેટ બોર્ડ વિખેરી નાંખવાના મુડમાં છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલની રચના કરવામાં આવી હતી ત્યારે તેની ટર્મ પાંચ વર્ષની નક્કી થઇ હતી અને તેના ચેરમેન તરીકે લલિત મોદીની નિમણૂંક કરવામાં આવી હતી પણ બોર્ડે હવે નક્કી કર્યું છે કે ગવર્નિંગ કાઉન્સીલનો કાર્યકાળ પાંચને બદલે એક વર્ષનો કરી નાંખવામાં આવે, જેથી લલિત મોદી આપોઆપ દૂર થઇ જાય.
બીસીસીઆઇને આ નિર્ણયને અમલી બનાવવા માટે તેને એજીએમમાં રજુ કરવો પડે અને તેનો નિર્ણય વર્કિંગ કમિટિના સભ્યો લેશે. જે લલિત મોદીને દૂર કરવાની તરફેણમાં જ વોટિંગ કરશે કે પોતાનો મત રજુ કરશે તેમ મનાય છે. લલિત મોદી સામે આઇપીએલમાં મોટાપાયે ગેરરીતિ અને નાણાંકિય અનિયમિતતાનો આરોપ મુકાયો હતો અને ત્રીજી સિઝનના અંત સાથે જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
હાલની આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલમાં મોદી સહીત કુલ ૧૩ સભ્યો છે, જેમાં બોર્ડના પ્રમુખ શશાંક મનોહર, આઇપીએલના વચગાળાના ચીફ ચિરાયુ અમીન, બોર્ડના સચિવ શ્રીનિવાસન, નિરંજન શાહ, આઇએસ બિન્દ્રા, એમપી પાંડોવ, અરૃણ જેટલી, સંજય જગદાલે, રાજીવ શુક્લા, ફારૃક અબ્દુલ્લા, રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર અને મંસૂર અલી ખાન પટૌડીનો સમાવેશ થાય છે. સુત્રો જણાવે છે કે જ્યારે નવી સમિતિ રચાશે ત્યારે તેમાં બે જ ભૂતપૂર્વ કેપ્ટનોને સમાવવામાં આવશે.
Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
અબજોપતિઓએ હવે વિમાનમથકે ધક્કામુક્કી નહીં કરવી પડે
મુંબઈના ખાડાથી ગણેશજીને નુકસાન થશે તો પાલિકાની ખેર નથી
મુંબઈમાં એર પોલ્યુશનથી કેન્સરનો ખતરો
ધાર્મિક સહિષ્ણુતા તરફની પ્રતિબદ્ધતા USની સ્થાપના સમયથી જ છે ઃ અમેરિકી વિદેશમંત્રી
ન્યુક્લિયર બિલમાં ફેરફાર અંગે અમેરિકા ભારત સાથે ચર્ચા કરશે
અમેરિકા અને ચીને એકબીજાને હરિફ ગણવા ન જોઈએ ઃ જિઆબાઓ
 
  More News
મારુતિ, ટાટા મોટર્સ અને સ્કોડા એમયુવીના મોડલ રજૂ કરશે
કેઈર્ન-વેદાંત વચ્ચેનો સોદો વિલંબમાં પડવાની શક્યતા
પ્રારંભિક નરમાઈ બાદ હેવીવેઇટ શેરોમાં નવી લેવાલીએ ટર્નએરાઉન્ડ ઃ સેન્સેક્સ ૨૧ પોઇન્ટ વધ્યો
સીડનીમાં હારવાના પાક. ખેલાડીઓને રૃા. ૧.૩૦ કરોડ મળ્યા હોવાની આશંકા
યુએસ ઓપનમાં નડાલ, વાવ્રિન્કા અને ક્લાઇસ્ટર્સ ક્વાર્ટર ફાઇનલમાં
ઈંગ્લેન્ડે બીજી ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાનને હરાવીને ૨-૦થી શ્રેણીમાં વિજય મેળવ્યો
શાઇની આહુજાએ બળાત્કાર કર્યો જ નહોતો - નોકરાણી
ફારાહ ખાનની ફિલ્મના સેટ પર અક્ષય ખન્ના ગુસ્સે થયો
એ.આર. રહેમાને ૪૦ કલાકમાં ગીતનું રેકોર્ડિંગ પૂરું કર્યું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

કોલેજ મેગેઝિન્સમાં ક્રિએટિવિટીની કશ્મકશ
પૂર્વનો ઝભ્ભો અને પશ્ચિમનું જીન્સ....
પોલીસ બેન્ડના ડ્રમ,ટ્રમ્પેટ અને ક્ પર ભક્તિના સૂર....લેરિનેટ
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved