ગાંધીનગર -
ગુજરાતામાં ભ્રષ્ટાચારને રોકવા લાંચરૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકા ગોઠવવામાં આવે છે. તેમાં મોટાભાગે સફળતા પણ મળે છે પરંતુ લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે કોર્ટમાં તહોમત મુકવા માટે નિમણૂંક અધિકારીની પૂર્વ મંજુરી જરૃરી હોય છે અને તેમાં વિલંબ થતાં ગુનેગારને યોગ્ય સજા કરાવી શકાતી
તકેદારી આયોગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર ૨૦૦૯ની સ્થિતિએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુન્હા અંગે ફોજદારી કાર્યવાહી પડતર હોય એવા રાજ્યપત્રિક અધિકારીઓ અને કર્મચારીઓ સામે કુલ ૧૧૦૮ કેસો વિવિધ કોર્ટોમાં પડતર હોવાનું બ્યુરોએ જણાવ્યું છે. આ પૈકીના ૪૦૪ કેસો વર્ષ ૨૦૦૪ પહેલાની પડતર છે.
પ્રોસીક્યુશનની મંજૂરી માટેના પડકર કેસો અંગે સપ્ટેમ્બર ૨૦૦૯માં એ.સી.બી., સામાન્ય વહિવટ વિભાગ, ગૃહવિભાગ, મહેસુલ વિભાગ અને શિક્ષણવિભાગના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં નક્કી થયું હતું કે છટકા કેસમાં પ્રોસીક્યુશનની દરખાસ્ત મળતા મંજૂરી કે નામંજૂરી અંગેનો નિર્ણય સક્ષમ અધિકારીએ ૩ માસમાં લેવો જોઈએ.
આમ છતાં અમુક કિસ્સામાં સક્ષમ અધિકારી દ્વારા પ્રોસીક્યુશનની મંજૂરી અંગે કોઈ હુકમો કરવામાં આવતાં નથી અને આવી મંજુરી વિના કોર્ટમાં ચાર્જશીટ કમીટ થઈ શકતું નથી. લાંચ લેતા અધિકારી કે કર્મચારી પકડાયા બાદ વર્ષો સુધી તેમની સામે કાનુની કાર્યવાહી નહીં કરીને જે તે અધિકારીને બચાવી લેવામાં આવે છે.
|