ભાવનગર -
કુદરતી તત્વોનો આડેધડ ઉપયોગ તથા પર્યાવરણ ખોરવાઇ ગયેલી અસમતુલાને લીધે ગ્લોબલ વોર્મિંગની આડઅસરથી આખું વિશ્વ પિડાઇ રહ્યું છે. એ બાબત સમગ્ર જીવસૃષ્ટિ માટે ખતરાની ઘંટડી સમાન છે, ત્યારે જળ-પર્યાવરણના જતનને પ્રાધાન્ય આપવાનો સમય પાકી ગયો છે.
પાણી અને પર્યાવરણની કથળતી હાલતથી વિશ્વ જગત ચિંતા સેવી રહ્યું છે. ગુજરાત પણ બાકાત નથી. કદી વિશ્વ યુધ્ધ થશે તો પાણી પ્રશ્ને હોવાનું તજજ્ઞાોનું તારણ છે. ત્યારે જળ-વાયુ જાળવણી અર્થે નક્કર કદમ ઉઠવા જોઇએ. પરંતુ તદ્દન વિપરીત રીતે પાણી-પર્યાવરનો કચ્ચર ઘાણ કાઢી વિનાશના પંથે તેજ ગતિથી દોરી જનારી પ્રક્રિયાઓને વિકાસનું રૃડું નામ આપીને ગાંધી વૈદ્યનું સહિયારૃની પેઠે શાસકો સાથે મીલી ભગતમાં વકરતી ઉદ્યોગ નીતીના કારણે કૃષિ ગરીબો અને ગામડું ભુલાતું જાય છે. ભાંગતુ જાય છે.
ખેતી પ્રધાન રાષ્ટ્રના કૃષિ સમૃધ્ધ રાજ્યમાં ગામડાઓ ભાંગી રહ્યા છે. ગ્રામ્ય જીવન કથળી રહ્યું છે. શહેરીકરણ સમસ્યા રૃપ બને છે. અને આર્થિક અસમાનતાની ખાઇ વધુ પહોળી થતી જાય છે. માટે જળ-પર્યાવરણના જતનને અગ્રતા આપવી જ ઘટે જળ સમૃધ્ધિ વધવાથી કુદરતના સથવારે કૃષિ સમૃધ્ધીથી છલકાતું ગુજરાત દુનિયા સાથે ખભે ખભો મીલાવી વિકાસનો પંથ કંડારી શકશે.ૃ જગતમાં અજોડ એવું ખંભાતના અખાતમાં કલ્પસર સરોવર રચીને ગુજરાત જળ તૃપ્ત અને પર્યાવરણ પ્રીય રાજ્યો દરજ્જો પ્રાપ્ત કરી લોક સુખાકારીની રાહે આગળ ધપી શકે એમ છે.
ત્યારે કુદરતની બક્ષીસરૃપે સાંપડેલી ભૌગોલિક અનુકુળતાને આડેધડ ધમરોળવાનો મનસુબો સેવવામાં મશગુલ સરકાર ફેર વિચારણા કરે એ ઇચ્છનીય છે. અર્ધી સદી પૂર્વે બળદ ગાડાના જમાનામાં દીર્ધ દ્રષ્ટાઓએ લોક સુખાકારી કાજે કલ્પવૃક્ષ સરીખુ કલ્પસર સરોવરનો સુજાવ રજુ કર્યો એની દ્દઢતા અને મનોબળને યોજના સાકાર તરફ આગળ વધવું જોઇએ. એકવીસમી સદીની ગુલબાંગો વચ્ચે પણ યોજના પાર પાડમાં શાસકો વામણા પુરવાર થશે તો આ કલંકીત ઇતિહાસને ભાવી પેઢી કદાપી માફ નહિ કરે. કલ્પસર સરોવર નર્મદાના પવિત્ર નીર થખી સદાએ શુધ્ધીઓ સાથે છલકાતું રહે એ દ્રષ્ટી રહેલી છે. લાખો હેક્ટર જમીન નવસાધ્ય બને સિંચાઇ માટે અઢળક પાણી ઉપલબ્ધ થાય. અવિરત નિદોષ અને સસ્તી વિજળી પેદા કરી રાજ્ય પ્રગતિ સાધી શકે એમ છે. ત્યારે કાંઠાળ ભુમિ સગેવગે કરવાના આળ સાથે સરોવર ખંડીત કરવાનો મનસુબો શાસકોએ છોડવો જોઇએ.
સરોવર તીરે ઔદ્યોગિક તાંડવ રચવાથી શુધ્ધતા શી રીતે જળવાય ? નર્મદાનો નિર્મળ જળસ્ત્રોત જતો કર્યા બાદ શહેરોનો ગંદવાડ કેમીકલ્સ યુક્ત કચરા સિવાય સરોવરમાં શું આવશે ? ઉદ્યોગ તૃષ્ણામાં જળ તૃપ્તીનું અખોપાતર (અક્ષર પાત્ર) ભરખાઇ ન જાય એ જોવું જ રહ્યું. દુનિયામાં ભીન્ન ભીન્ન ભુ ભાગો આવેલા છે. ભૌગોલીક અનુકુળતા મુજબ વિવિધ ઉપયોગો પ્રયોજવા જોઇએ. ઇચ્છાનુસાર પૃથ્વીનો દુરઉપયોગ થવાથી ગ્લોબલ વોર્મિંગની નોબત આવી છે. ઋતુચક્ર ખોરવાઇ રહ્યું છે. ઠંડી ગરમીમાં નોંધાતા અસામાન્ય ચઢાવ ઉતારની વિપરીત અસરના કારણે દુષ્કાળ તેમજ પુર પ્રલય જેવા પ્રકોપમાં થયેલો વધારો એ સમગ્ર જીવ સૃષ્ટી માટે ખતરાની ઘંટડી સમાન છે. કુદરત સાથે તાલમેલ સાધી વિકાસની વાટે આગળ વધાય તો સૌનું કલ્યાણ થશે. તેવું પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે.