તા. ૫-૯-૨૦૧૦ રવિવાર
શ્રાવણ વદ બારસ - એકાદશી (વૈષ્ણવ)
જૈન પર્યુષણ પર્વનો
પ્રારંભ (પં.પ.)
તુલામાં મંગળ
દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ., ૧૮ ક. ૪૯ મિ.
નવકારસિ સમય ઃ (અ) ૭ ક. ૨૫ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ., (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુનર્વસુ સવારના ૧૦ ક. ૫૩ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - સિંહ, મંગળ - તુલામાં રાત્રે ૩ ક. ૦૪ મિ.થી, બુધ - સિંહ, ગુરૃ - મીન, શુક્ર - તુલા, શનિ - કન્યા, રાહુ - ધન, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬, શાકે ઃ ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન શરદ ઋતુ, શ્રાવણ વદ બારસ ને રવિવાર. અજા એકાદશી વૈષ્ણવ. જૈન પર્યુષણ પ્રારંભ (પં.પ.) મંગળ તુલામાં. રાત્રે ૩ ક. ૦૪ મિ.થી. આજે રવિપુષ્યામૃત યોગ, સવારના ૧૦ ક. ૫૩ મિ.થી શરૃ.
બધુ અનાજ મોંઘુ થાય. અડદ, મગ, સૂત, કપાસ વગેરે વધારે મોંઘી થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માનસો પચ્ચીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો અઢારમો રોજ રશ્ને
|
મેષ ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણની શરૃઆત કરે છે તેથી આજનો દિવસ શાંતિથી પસાર કરવો. તબિયત સાચવવી.
વૃષભ ઃ આજે આપે વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. પત્ની-સંતાન-પરિવાર સાથે કે અન્ય સાથે વિવાદથી દૂર રહેવું.
મિથુન ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરતાં પહેલા આપને આકસ્મિક ચિંતા-ઉચાટ-મુશ્કેલીનો અનુભવ થાય તેવું બને.
કર્ક ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં આપને આગામી સમય નોકરી-ધંધામાં, રાજકીય-સરકારી-કાનૂની પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં ચિંતા.
સિંહ ઃ આપની નાણાંકીય ચિંતા-મુંઝવણ હળવી થાય. નોકરી-ધંધામાં આવક આવવાથી, ધંધો મળવાથી, આનંદ રહે કામ ઉકેલાય.
કન્યા ઃ માનસિક પરિતાપ-ચિંતા હળવી થાય. ધંધો થાય. આવક આવવાથી રાહત અનુભવાય. પરિવારનું કામ થઈ શકે.
તુલા ઃ આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. નુકસાન, વિવાદ થાય તેવું કોઈ કામ કરવું નહીં. સાંસારિક પ્રશ્નમાં સંભાળવું.
વૃશ્વિક ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં આગામી સમય આપે આરોગ્યની બાબતમાં, નાણાંકીય પ્રશ્ને સંભાળવું પડે.
ધન ઃ નોકરી-ધંધાના કામમાં લોભ-લાલચ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો. પરિવારમાં શાંતિ રાખવી.
મકર ઃ આપની કાર્યસફળતા-પ્રગતિનો માર્ગ હળવો થતો જાય. હૃદય-મનની પ્રસન્નતા-આનંદ થાય તેવું કામ થાય.
કુંભ ઃ આજનો દિવસ આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવો પડે. આરોગ્યની કાળજી રાખવી.
મીન ઃ આજે રાત્રે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરે છે તેથી આગામી સમય આપને ચિંતા-ઉપાધિ-સંઘર્ષ-બીમારીનો જણાય.
|
શક્કરિયા શીંગોડાનું રાયતું
સામગ્રીઃ ૨૫૦ ગ્રામ શક્કરિયાં, ૨૫૦ ગ્રામ લીલાં શીંગડાં (બાફેલા), ૩૫૦ ગ્રામ મોળું દહીં, ૨ ચમચી મીઠું, ૩૦ ગ્રામ તેલ અર્ધા ચમચી જીરું.
રીતઃ શક્કરીયાને ધોઈ બાફી નાખો પછી તેને છીણી શીંગોડાને વાટી બન્નેનો માવો બનાવી દહીંમાં નાખો. પછી તેમાં તેલ રાઈનો વઘાર કરો. ઉપરથી મીઠું ઉમેરો.
સુચનાઃ આ રીતે સુરણ અને રતાળુનું દહીંવાળું શાક થાય.
|