લંડન,
કેપ્ટન બટ સહિતના ફાસ્ટ બોલર આસિફ અને આમિરને મેચ ફિક્સિંગના આરોપસર સસ્પેન્ડ કરવાના આઇસીસીના નિર્ણય સામે પાકિસ્તાનના લંડન સ્થિત હાઇકમિશનર હસને આરોપ મુકતાં કહ્યું હતુ કે, પાકિસ્તાનના ખેલાડીઓ સામેની કાર્યવાહીમાં અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહતા. જો કે આઇસીસીના સીઇઓ લોર્ગટે સ્પષ્ટતાં કરી છે કે, અમે પીસીબી અને પાકિસ્તાનના હાઇ કમિશનરને તેમના ખેલાડીઓ સામે થનારી કાર્યવાહીની જાણ કરી હતી.
પાકિસ્તાનના હાઇ કમિશનર હસને મીડિયામાં એવો આક્ષેપ મુક્યો હતો કે, અમને શરૃઆતમાં આઇસીસીએ એવો ભરોસો અપાવ્યો હતો કે તેઓ સ્કોટલેન્ડ યાર્ડની કાર્યવાહી પુરી થશે પછી જ કોઇ પગલાં ભરશે પણ ત્યાર બાદ અચાનક જ તેઓ ફરી ગયા અને અમારા ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા.
જો કે લોર્ગટે કહ્યું કે, અમે ત્યારે જ પાકિસ્તાનના હાઇ કમિશનર અને પીસીબીના ચેરમેન એજાઝ બટને જણાવી દીધું હતુ કે, સાંજ સુધીમાં અમે ખેલાડીઓને નોટિસ આપવાના છીએ. તેઓ અમારી તપાસની કાર્યવાહીથી પરિચિત છે અને અમે તેમની જાણ બહાર ખેલાડીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત ખોટી છે.
|
|