સુરત -
સુરત મહાનગરપાલિકામાં વર્ષો જુના બાકી અને વસુલી ન શકાય તેવા વેરા રાઈટ ઓફ (માંડવાળ૦ કરવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. આ પહેલાં ઉધના, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં વેરા રાઈટ ઓફ કરવામાં આવ્યા હતા. આગામી સ્થાયી સમિતિમાં લિંબાયત ઝોનના ૯૬ લાખના બાકી વેરા રાઈટ ઓફ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ૩૬૦૦ જેટલી મિલ્કતના વેરા રાઈટ ઓફ કરવા માટે કવાયત થઈ રહી છે. ૩૬૦૦ મિલ્કતના ૯૬ લાખ જેટલા વેરા પાલિકા વસુલી શકે તેમ નથી. પાલિકાના ચોપડે જે વેરા બાકી બોલે છે તેમાં અનેક મિલ્કતોનું ડિમોલીશન થઈ ગયું છે.જ્યારે કેટલાક ઝુંપડાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવા છતાં પણ નવી અને જુની બન્ને જગ્યાએ આકારણી કરવામાં આવી છે. આવા ઝુંપડાની સંખ્યા ૨૫૪૭ જેટલી છે. પાલિકા દ્વારા કરવામાં આવેલા સરવે મુજબ આવા વેરા વસુલી ન શકાય તેમ હોવાથી રાઈટ ઓફ કરવાની દરખાસ્ત પર આવતીકાલ શનિવારે નિર્ણય કરવામાં આવશે.